Friday, March 07, 2014

શાસ્ત્રો પ્રમાણે મરતાં પહેલાં આ 16 કામ ન કર્યા તો, જીવન છે અપૂર્ણ!

શાસ્ત્રો અનુસાર મનુષ્ય જીવન માટે કેટલાક જરૂરી નિયમ બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું આપણા માટે અત્યંત જરૂરી અને સુખકારી માનવામાં આવે છે. મનુષ્ય જીવનમાં દરેક વ્યક્તિને અનિવાર્ય રૂપથી સોળ સંસ્કારોનું પાલન કરવું જોઈએ. આ સંસ્કાર વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી અલગ-અલગ સમય પર કરવામાં આવે છે.

પ્રાચીન કાળથી આ સોળ સંસ્કારોના નિર્વાહનની પરંપરા ચાલી આવે છે. દરેક સંસ્કારોનું પોતાનું અલગ મહત્વ છે. જે વ્યક્તિ દ્વારા આ સોળ સંસ્કારોનું નિર્વાહ નથી કરવામાં આવતું તેનું જીવન અધૂરું રહી જાય છે.

ગર્ભાધના સંસ્કાર ગર્ભાધના તંદુરસ્ત બાળકો હોય માટે આ વિભાવના કર્મકાંડ છે. ભગવાન બ્રહ્મા કે પ્રજાપતિ આ વિધિ દ્વારા ખુશ થાય છે.

પુંસવન સંસ્કાર ગર્ભસ્થ શિશુના બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે આ સંસ્કાર કરવામાં આવે છે. પુંસવન સંસ્કારના મુખ્ય લાભ એ છે કે તેનાથી સ્વસ્થ, સુંદર ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે.

સીમન્તોન્નયન સંસ્કાર આ સંસ્કાર ગર્ભના ચોથા, છઠ્ઠા અને આઠમા મહીનામાં કરવામાં આવે છે આ સમય ગર્ભમાં ઉછરી રહેલ બાળક શીખવા સક્ષમ થઈ જાય છએ. તેમાં સારા ગુણ, સ્વભાવ અને કર્મનું જ્ઞાન આવો, તેના માટે માં તે પ્રકારે આચાર-વિચાર, રહન-સહન અને વ્યવહાર કરે છે.

જાતકર્મ સંસ્કાર બાળકના જન્મ થતા જ આ સંસ્કારને કરવાથી બાળકમાં ઘણા પ્રકારના દોષ દૂર થાય છે. તેની અંતર્ગત શિશુને મધ અને ઘી ચટાવવામાં આવે છે સાથે જ વૈદિક મંત્રોનું ઉચ્ચરણ કરવામાં આવે છે જેથી બાળક સ્વસ્થ્ય અને દીર્ઘાયું થાય છે.

નામકરણ સંસ્કાર બાળકના જન્મ પછી 11મા દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. બ્રાહ્મણ દ્વારા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળકના નામ નક્કી કરવામાં આવે છે. બાળકના જન્મની તિથિ પ્રમાણે તેનું નામ રાખવામાં આવે છે.

નિષ્ક્રમણ સંસ્કાર નિષ્ક્રમણનો અર્થ છે ગર્ભમાંથી બાહર નિકળનાર બાળકના જન્મના ચોથા મહીને આ સંસ્કાર કરવામાં આવે છે. આપણા શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેને પંચભૂત કહેવામાં આવે છે, આ માટે પિતા આ દેવતાઓથી બાળકોના કલ્યાણની પ્રાર્થના કરે છે. સાથે જ કામના કરે છે કે બાળક દીર્ધાયું રહે અને સ્વસ્થ્ય રહે છે.

અન્નપ્રાશન સંસ્કાર આ સંસ્કાર બાળકોના દાંત નિકળવાના સમયે એટલે 6-7 મહીને કરવામાં આવે છે. આ સંસ્કાર પછી બાળકને અન્ન ખવડાવવાની શરૂઆત થાય છે. જેથી બાળક અન્ન ખાતું થાય. આ સંસ્કારથી બાળકનું શારિરીક વિકાસ થાય છે.

મુંડન સંસ્કાર - જ્યારે બાળકની ઉમર એક વર્ષથી વધુ અથવા ત્રણ, પાંચમા કે સાતમાં વર્ષે તેના વાળ ઉતારવામાં આવે છે જેથી મુંડન સંસ્કાર કહેવામાં આવે છે. આ સંસ્કારથી બાળકનું માથુ મજબૂત થાય છે તથા બુદ્ધિ તેજ થાય છે. સાથે જ બાળકના વાળમાં ચોટેલા કિટાણુંનો નાશ થઈ જાય છે જેથી બાળકનું સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.

વિદ્યા આરંભ સંસ્કાર આ સંસ્કારના માધ્યમથી બાળકને ઉચિત શિક્ષા આપવામાં આવે છે. બાળકને શિક્ષાના પ્રારંભિક સ્તરથી પરિચિત કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં બાળક હોશિયાર બની શકે અને દુનિયામાં નામના મેળવી શકે.

કર્ણ વેધ સંસ્કાર તેનો અર્થ છે કાન છેદવા. પરંપરામાં કાન અને નાક છેદવાના બે કારણથી એક્યુપંચપ હોય છે. તેનાથી મસ્તિષ્ક સુધી જનાર નસોમાં રક્ત પ્રવાહ બરાબર થાય છે. તેનાથી શ્રવણ શક્તિ વધે છે અને ઘણા રોગો અટકે છે.

ઉપનયન કે યજ્ઞોપવિત સંસ્કાર ઉપ એટલે પાસે અને નયન એટલે જાણવું ગુરુની પાસે લઈ જવાનો અર્થ એટલે ઉપનયન સંસ્કાર. આજે પણ આ પરંપરા છે. જનોઈ એટલે કે યજ્ઞોપવિતમાં ત્રણ સૂત્ર હોય છે. એ ત્રણેય દેવતા- બ્રહ્મા, વિષ્ણુ, મહેશના પ્રતિક છે. આ સંસ્કારથી બાળકને બળ, ઉર્જા અને તેજ પ્રાપ્ત થાય છે.

વેદારંભ સંસ્કાર તેની અંતર્ગત વ્યક્તિને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે. જેથી વ્યક્તિ વેદો અને ઉપનિષદની જાણકારી પર પોતાના જીવનમાં ગ્રહણ કરી શકે.

કેશાંત સંસ્કાર કેશાંત સંસ્કાર અર્થ છે કેશ એટલે વાળનો અંત કરવો. વિદ્યા અધ્યયનથી પહેલા પણ કેશાંત કરવામાં આવે છે. માન્યતા છે ગર્ભથી બહાર આવ્યા પછી બાળકના માતા-પિતાના આપેળ બાળ જ રહે છે. તેને કાપવાથી શુદ્ધિ થઈ જાય છે. શિક્ષા પ્રાપ્તિના પહેલા શુદ્ધિ જરૂરી છે, જો કે મસ્તિષ્ક બરાબર દિશામાં કામ કરે છે. જુનામાં ગુરુકુળની શિક્ષા પ્રાપ્ત પછી કેશાંત સંસ્કાર કરવામાં આવતા હતા.

સમાવર્તન સંસ્કાર સમાવર્તન સંસ્કાર અર્થ છે પાછું ફરવું. આશ્રમ એટલે કે ગુરુકુળથી શિક્ષા પ્રાપ્તિ પછી વ્યક્તિને ફરીથી સમાજમાં લાવવા માટે આ સંસ્કાર કરવામાં આવે છે. તેનો અર્થ છે બ્રહ્મચારી વ્યક્તિને સંસાર માટે મનોવિજ્ઞાનિક રૂપથી તૈયાર કરવા.

વિવાહ સંસ્કાર આ ધર્મનું સાધન છે. વિવાહ સંસ્કાર સર્વાધિક મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. આ સંસ્કારથી સુવિદિત છે બધા. પણ આ સંસ્કાર એ માટે કરવામાં આવે છે કે તેથી પિતૃ મુક્તિ થાય છે.

અંત્યેષ્ટી સંસ્કાર અંત્યેષ્ટિ સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર. મૃત શરીરને અગ્નિ આપવામાં આવે છે. આજે પણ ઘરેથી અગ્નિ લઈ જઈ વ્યક્તિને અંતિમદાહ આપવામાં આવે છે. તેને પણ આપણા શાસ્ત્રોએ અંતિમ યજ્ઞ કહ્યો છે.

Thursday, March 06, 2014

આ સાત 'સ' સજાવી દે છે તમારા દાંપત્યના સંબંધને!

દાંપત્ય કહે છે કોને? શું માત્ર સ્ત્રી પુરુષનું સાથે રહેવું દાંપત્ય છે? આ સંબંધ હંમેશા માટે જાણવા યોગ્ય રહ્યો છે, કારણ કે તે એટલો નાજુક છે, કે એકવાર જો તણાવથી તુટી જાય છે તો પછી જોડાવવાથી ય વચ્ચે એક ભાવાત્મક ગાંઠ રહે છે. આ ગાંઠ ન રહે અને તમે સફળતાપૂર્વક સંવેદનશીલ દાંપત્યજીવવનું છે તો આ છ ‘સ’ અપનાવો...

સમર્પણ – દાંપત્ય એટલે કે વૈવાહિક જીવનમાં પતિ-પત્નીને એક બીજા પ્રત્યે પૂરા સમર્પણ અને ત્યાગ હોવો જોઈએ. એક બીજા પ્રત્યે પોતાની ઈચ્છા અને આવશ્યકતાઓનો ત્યાગ આપવો અને સમજુતી કરી લેવી તે દાંપત્ય જીવન માટે દવા રૂપ છે.


સંતાન -
પતિ, પત્નીના સંબંધને મધુર બનાવવામાં સંતાનોનો ફાળો મહત્વપૂર્ણ હોય છે.


સંવેદનશિલતા – પતિ-પત્નીના રૂપમાં એક બીજાની ભાવનાઓનો સમજવું અને તેની કદર કરવી. રામ સીતાની વચ્ચે સંવેદનનો સંબંધ ખાસ ઉંડો સંબંધ હોય છે. પતિ-પત્ની વચ્ચે માત્ર આંખો અને ભાવો પરથી જ તેના મનની વાત સમજી શકે.

સંતુષ્ટિ – એટલે કે એક-બીજાની સાથે રહેવા છત્તાસમય અને પરિસ્થિતિ અનુસાર જે પણ સુખ-સુવિધા પ્રાપ્ત થઈ જાય છે તેમાં સંતોષ કરવો. બન્ને એક બીજાથી પૂર્ણતઃ સંતુષ્ટ હતા. રામ-સીતાએ એક બીજામાં ક્યારેય ખામી જોઈ નથી.

સક્ષમ – સામર્થ્યનું હોવું. દામ્પત્ય એટલે કે વૈવાહિક જીવનની સફળતા અને ખુશહાલીથી ભરપૂર બનાવવા માટે પતિ-પત્ની બન્નેને શારીરિક, આર્થિક અને માનસિક રૂપથી મજબૂત થવું વધારે આવશ્યક છે.

સંયમ – એટલે કે સમય-યમય પર ઉઠાવવનારી માનસિક ઉત્તેજનાઓ જેવી કે – કામવાસના, ક્રોધ, લોભ, અહંકાર તથા મોહ વગેરે નિયંત્રણ રાખવું. રામ-સીતાએ પોતાના સંપુર્ણદાંપત્ય વધારે જ સંયમ અને પ્રેમથી જીવ્યા. તે ક્યારે પણ માનસિક કે શારીરિક રૂપથી અનિયંત્રિત નથી થતું.

સંકલ્પ – પતિ-પત્નીના રૂપે પોતાના ધર્મ સંબંધને સારી રીતે નિભાવવા માટે પોતાના કર્તવ્યને સંકલ્પપૂર્વક પૂરા કરવા.


Monday, February 24, 2014

તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન –

આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

     અને છેલ્લે….

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

 એ જ લિ,
 ભગવાનની આશિષ.

Wednesday, January 22, 2014

Bajarangdas Bapa Bagdana

ભાવનગરથી 85 કિ.મી.ના અંતરે આવેલું સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા ખાતે પૂ. બજરંગદાસ બાપાનું મંદિર યાત્રાધામ બન્યું છે. અહીં વર્ષભર શ્રધ્ધાળુઓનો જમેલો રહે છે. ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે અહીં લાખોની મેદની ઉમટે છે. પ્રાત:કાળે ગુરુપૂજન અને દિવસભર શ્રધ્ધાળુઓની ભીડ રહે છે. અહીં યાત્રિકો માટે ચોવીસ કલાક ભોજન વ્યવસ્થા છે. બજરંગદાસ બાપાની ચાંદીની પ્રતિમા અને આશ્રમ પરિસરમાં શિવાલય દર્શનીય છે. 

બગદાણા ઘણા લોકો માટે શ્રદ્ધા અને વિશ્વાસની જગ્યા છે. મોટું નગર હોય કે નાનુ ગામ પણ બાપા સીતારામની મઢુલી તો બધે અચૂક જોવા મળે છે. લગભગ 100 વર્ષ પહેલા બાપા બજરંગ દાસનો જન્મ ઝાંઝરીયા હનુમાનની જગ્યામાં થયો હતો.

આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા પણ કહેવાય છે. આ ગામ પાસે બગડાલવ ઋષિનો બગડાલવ નામનો કુંડ છે. અહીં બગડ નદી વહે છે. જયાં ત્રિવેણી સંગમ થાય છે. તેની પાસે બગડેશ્વર મહાદેવ નામે સુંદર શિવાલય પણ આવેલું છે.

કુદરતી સૌંદર્યથી ભરપુર બગદાણા ગામામાં બજરંગદાસબાપાનો સુંદર આશ્રમ આવેલ છે. પહેલાં આ સ્થળે બજરંગદાસબાપાની ઝુંપડી આવેલી હતી. અત્યારે એ જ સ્થળે મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત છે. બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ ચાલુ જ છે. આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આમ તો ગમે ત્યારે દર્શનાર્થીઓ અહીં આવે છે પરંતુ આ બે દિવસે અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાઓનું આયોજન થાય છે અને લાખો ભક્તો આવે છે. અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ઘણાં વર્ષો પહેલાં એક સંત થઈ ગયા હતા. એમનું નામ બજરંગદાસ બાપા હતું. બગદ નદીને કાંઠે આ બગદાણા ગામ આવેલું છે. ગામમાં ઓછી વસ્તી છે છતાં પણ ગામ ઘણું રૂડું છે. બગદાણા ગામનું નામ સાંભળે એટલે ભક્તો રાજીના રેડ થઈ જાય. બજરંગદાસ બાપાએ આ બગદાણા ગામમાં સમાધિ લીધી હતી. સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને સીતારામ સીતારામ રટતા.

જે દિવસે બાપાએ સમાધિ લીધી હતી એ દિવસે બગદ નદીના નીર પણ થંભી ગયા હતા. પવન પણ થંભી ગયો હતો અને બાપાના બગીચામાં રહેનારા પશુ-પંખી એ દિવસે બોલ્યાં પણ ન હતા. જગત જેના નામના જાપ કરે છે એવા સમરક સંત જેનું નામ લઈએ તો ત્યાં મસ્ત ઝૂકી જાય છે.

કેવી રીતે પહોંચવું : 

બગદાણા જવા માટે અમદાવાદથી સીધી એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ધામમાં દર પૂનમે મેળો પણ ભરાય છે. 
બગદાણા ધામમાં બીજા મંદિરો પણ જોવા જેવા છે જેમ કે બજરંગદાસ બાપાનું મંદિર, બગદેશ્વર મહાદેવ મંદિર, બાપાનું સમાધિ મંદિર, ગાડી મંદિર, બગદ નદી. અહીં એવી પણ માન્યતા છે કે બાપા ભક્તોની માનતા પૂરી કરે છે અને અહીં આવવાથી તમારા ભવનો ફેરો પલટાઈ જશે.

Wednesday, October 30, 2013

Memories of Sardar Patel



Tags : Nilesh Patel, memories of sardar patel, sardar patel, sardar patel yuva botter, nilesh patidar,

Friday, October 25, 2013

Rules of Bill Gates in Gujarati


Tags : Nilesh Patelrules of bill gates in gujarati, rules of bill gates, nilesh patidar,

Love of Mother


Tags : Nilesh Patel, love of mother, Knowledge, beautiful think of the world, nilesh patidar,

Knowledge - Nilesh Patel




Tags : Nilesh Patel, Knowledge, general Knowledgebeautiful think of the world, nilesh patel, nilesh patidar,

Before Marriage and After Marriage



Tags : Nilesh Patel, before marriage, after marriage, love marriage, nilesh patel, nilesh patidar,

Thursday, October 24, 2013

Sardar Patel Yuva Patidar's Longest Bike and Cars Relly

જય સરદાર પાટીદાર મિત્રો ,

સરદાર પટેલ જન્મજયંતી ના દિવસે ભારત ના ઈતિહાસ ની સૌથી મોટી પાટીદાર બાઈક તથા ગાડી રેલી

હવે માત્ર ગણતરી ના જ દિવસ રહ્યા છે પાટીદાર તરીકે મર્દાના ઓળખ 
ધરાવતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૩૧ ઓક્ટોમ્બર 2013 સરદાર પટેલ જન્મજયંતી ના દિવસે ભારત ના ઈતિહાસ ની સૌથી મોટી પાટીદાર બાઈક તથા ગાડી રેલી માં હાજર રહેવા વિનતી. સમય આપનો છે અને આપનો જ રહેવાનો છે.

આમ તો ગર્લફ્રેન્ડ અને મિત્રો ના જન્મદિવસ યાદ રાખીએ અને સેલીબ્રેટ કરીએ છીએ. પરંતુ પાટીદાર ના માનીતા પુત્ર અને અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી ના દિવસે પોતાનો સમય મહેસાણા થી ઊંઝા સુધી ની ભારત ના ઈતિહાસ ની સૌથી મોટી બાઈક અને ગાડી રેલી માં જોડવો અને ઈતિહાસ માં સુવર્ણ અક્ષરે નામ લખાય અને પાટીદાર તરીકે ની મર્દાના ઓળખ ઉભી કરીએ.


સરદાર પટેલ સેવાદળ (પાટીદાર સરદાર સેના) દ્વારા ૩૧ઓક્ટોમ્બર સરદાર પટેલ જન્મજયંતી ના દિવસ ની કાર્યક્રમ ની રૂપરેખા:-


સવાર ૭ વાગ્યે તમામ સક્રિય સભ્યોએ કાર્યાલય પર હાજર રહેવું ત્યાંથી મહેસાણા જવા રવાના થવાનું છે તથા સાંજે ૫ વાગ્યે સરદાર પટેલ ની પ્રતિમા કે.બી.શાહ ચોક વિરમગામ હાજર રહેવું જ્યાં સરદાર પટેલ ની પ્રતિમા ને સ્વાગત આયોજન રાખેલ છે.


પાટીદાર મિત્રો સમાજ ની રક્ષા જ વિકાસ છે .જય સરદાર જય ઉમા જય ખોડલ
 

સરદાર પટેલ સેવાદળ ગુજરાત પ્રદેશ.
(પાટીદાર સરદાર સેના)

Tags : Nilesh Patel, sardar patel yuva botter, sardar patel yuva patidar samaj, patidar samaj, patel samaj,nilesh patel, nilesh patidar,