Thursday, May 01, 2014

જાણી લો...શા માટે ઉજવાય છે 1લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિન ?

1લી મે 1960માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે.મુંબઈ રાજ્યમાંથી છુટા પડેલા મહારાષ્ટ્ર અને ગુજરાતનો ઈતિહાસ અલગ સંદેશો જણાવે છે. કેમ કરવુંપડ્યું ગુજરાત રાજ્ય માટે મહાગુજરાત આંદોલન તેની માહિતી આ પ્રમાણે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાત ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી. અને ત્યારબાદ ટુંક જ સમયમાં આ ચળવળ મહાગુજરાત આંદોલનમાં ફેરવાઈ. મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રની રચના કેમ થઈ અને મહાગુજરાત ચળવળના મુખ્ય હિરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક.. 1956માં ઈન્દુલાલ યાજ્ઞિકે અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો.


વધુમાં દેશને અંગ્રેજોના રાજમાંથી મુક્ત કરાવી અને દેશવાસીઓને સ્વાતંત્ર્ય અપાવવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા છે. જો કે અહી વાત ગુજરાતના દેશની આઝાદીના યોગદાન અંગેની નહી. પરંતુ દેશપ્રેમી, વિકાસશીલ ગુજરાત રાજ્યની રચના અને તેના અનોખા ઈતિહાસની છે. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જો કે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલુ હતુ. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જો કે તે માટે પ્રજા તૈયાર નહોતી.. અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ.1960માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું જેમાં એક રાજ્ય મહારાષ્ટ્ર અને બીજુ રાજ્ય ગુજરાત બન્યું.


નોંધનીય છે કે સદીઓથી ગુજરાતની ભૌગોલિક રીતે અને સાંસ્કૃતિક રીતે એક ઓળખ હતી. સાંસ્કૃતિક બાબતોમાં મુખ્ય ત્વે ભાષા, સાહિત્યનો વારસો, પોતીકો ખોરાક, પહેરવેશ રહેણી કરણી, રીત રિવાજો જેને ગુજારતની ઓળખ કહી શકાય તેવી રહી છે. મહાગુજરાતની ચળવળ પાછળનો મુખ્ય આશય ભાષા ઉપર આધારીત પ્રાંતની રચના કરવાનો રહ્યોં છે. દ્વિભાષી રાજ્ય મુંબઈના પ્રસ્તાવના વિરુદ્ધમાં મહાગુજરાત ચળવળની જરુરીયાત ઊભી થઈ હતી. જે પ્રકારે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી એકમેક થઈને થાય છે તેવી જરીતે મહાગુજરાત ચળવળ શરુ કરાઈ હતી. પ્રત્યેક ગુજરાતી જાતી અને ધર્મથી પર થઈને એક ગુજરાતીના રુપમાં ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્ર્યતા બાદ ભારતમાં વિવિધ ભાષાની જનતાની અસ્મિતા બનાવી રાખવા માટે ભાષા અનુરુપ રાજ્યો સ્થાપના કરાય તેવો વિચાર રજૂ કરાયો હતો.


8 ઓગસ્ટનો એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. જેના વિરોધમાં હજારો વિદ્યાર્થિઓ ભદ્રની કોંગ્રેસ ઓફિસે એકત્રિત થયા. અને વિરોધ પ્રદર્શન કર્યા. આ વિરોધ વચ્ચે કોંગ્રેસ ઓફિસ પર ગોળીબાર થયો.. જેમાં 7થી 8 વિદ્યાર્થી શહિદ થયા. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણ થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરાઈ. હરીહર ખંભોળજા, હરીપ્રસાદ વ્યાસ અને પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં પ્રવાસ કરી વિદ્યાર્થીઓને શાંત રહેવા અપીલ કરી. આ રમખાણોમાં 12 લોકો શહીદ થયા જ્યારે 80 લોકો ઘાયલ થયા. શાહપુરમાં સરકાર વિરોધી પ્રદર્શન થયા 10 ઓગસ્ટે 5 લોકો પોલીસની ગોળીનો શિકાર થયા અને 45 લોકો ઘાયલ થયા. અને આ ચળવળે વેગ પકડી અમદાવાદથી નડિયાદ, પારડી, સુરત રાજકોટ, અમરેલી, બાવળા, ભૂજ, આણંદ , પાલનપુર સહિત રાજ્યભરમાં જંગ શરુ થઈ. અંતે કેન્દ્ર સરકારે 27 ઓગસ્ટ 1957માં લોકસભામાં દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય નિર્માણનો પ્રસ્તાવ મુક્યો. લોકસભામાં પ્રસ્તાવ પારિત કરાયો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી હતી. જેથી જીવરાજમહેતાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરાયો.


જ્યારે લોકસભાએ ગુજારતના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી ત્યારે વિસનગરમાં મહાગુજરાત પરિષદની આખરી બેઠક થઈ અને તેને ભંગ કરી દેવાઈ. 1960માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતને અલગ કરી એક નવા રાજ્યના સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. સ્થાપના બાદ ગુજરાતે મોટાભાગના ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ કર્યો. આજે દેશભરમાં ગુજરાતનું નામ અને યોગદાન છે. ગુજરાતીઓનું ખમીર અને કઠોર પરિશ્રમ અને યોગદાન દુનિયાભરમાં વખણાય છે.

No comments:

Post a Comment