Showing posts with label 72 gam kadva patidar samaj. Show all posts
Showing posts with label 72 gam kadva patidar samaj. Show all posts

Monday, May 05, 2014

મૃત્યુ બાદ કેટલા દિવસે જીવ પહોંચે છે યમલોક? શું થાય છે રસ્તામાં ?

મૃત્યુ એક સનાતન સત્ય છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી સ્વર્ગ-નરકની માન્યતા પણ છે. પુરાણ અનુસાર જે માણસ સારું કર્મ કરે છે, તેના પ્રાણ હરનાર દેવદૂત આવે છે અને તેને સ્વર્ગ જાય છે. જે માણસ જીવનભર ખરાબ કામમાં કરતા રહે છે, તેના પ્રાણ હરનારા યમદૂત આવે છે અને તેને નરકમાં લઈ જાય છે, પણ તેના પહેલા તે જીવાત્માના યમલોક લઈ જાય છે, જ્યાં યમરાજ તેના પાપના આધારે તેને સજા આપે છે.

મૃત્યુ પછી જીવાત્મા યમલોક સુધી કઈ રીતે જાય છે, તેનું વિસ્તૃત વર્ણન ગરૂડ પુરાણમાં જણાવાયું છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવાયું છે કે કઈ રીતે માણસના પ્રાણ નિકાળે છે અને કઈ રીતે તે પ્રાણ પિંડદાન પ્રેતના રૂપમાં પ્રાપ્ત કરે છે.

- ગરૂડપુરાણ અનુસાર જે માણસનું મૃત્યુ થવાનું હોય છે, ત્યારે બોલવાની ઈચ્છા હોવા છતાં પણ બોલી શકતા નથી. અંત સમયમાં દિવ્યદ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને તે સંપૂર્ણ સંસારને એક રૂપ સમજવા લાગે છે. તેની બધી ઈન્દ્રીઓ નષ્ટ થઈ જાય છે અને તે જડ અવસ્થા હોય છે એટલેકે હલનચલન માટે વ્યક્તિ અસમર્થ હોય છે. ત્યાર પછી તેના મુખમાં ફીણા નીકળવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપી પુરુષના પ્રાણ નીચેના માર્ગથી નીકળે છે.
- તે સમયે બે યમદૂત આવે છે, તે મોટા ભયાનક તથા ક્રોધીનેત્રોવાળા તથા પાશદંડને ધારણ કરનાર નગ્ન અવસ્થામાં આવે છે. તે પોતાના દાંત કકડાવે છે.
- યમદૂત કાગડા જેવા કાલા વાળ હોય છે, તેના મુખ આડાઅવળા હોય છે, નખ જ તેના શસ્ત્ર હોય છે. આવા યમદૂતોને જોઈને પ્રાણી ભયભીત થઈને મળમૂત્ર ત્યાગ કરવા લાગે છે. તે સમયે શરીર માંથી અંગૂઠા જેવડો જીવ હા..હા... શબ્દ કરતા નીકળે છે, જેને યમદૂત પકડી લે છે.

- યમરાજના દૂત તેને ભોગવાળા શરીરને પકડીને ગાળીયો ગળામાં બાંધે છે, તે ક્ષણ યમલોકમાં લઈ જાય છે. જે રીતે રાજાના સૈનિક દંડપાત્ર પ્રાણીને પકડીને લઈ જાય છે. તે રીતે પાપી જીવાત્માને રસ્તામાં થાકવાથી પણ યમરાજના દૂત ભયભીત કરે છે અને તેને નરકના દૂઃખને વારંવાર સંભળાવે છે. યમદૂતની એવી ભયાનક વાતો સાંભળી પાપાત્મા જોરજોરથી રડવા લાગે છે, પરંતુ યમદૂત તેના પર દયા ખાતા નથી.
- ત્યાર પછી તે અંગૂઠા જેવડો જીવ યમદૂતોથી ડરે છે, કૂતરાઓ તેને કરડવાથી દુઃખી થાય છે અને પોતાના પાપને યાદ કરે છે.

- અગ્નિની જેમ ગરમ હવા તથા ગરમ વાળ પર તે જીવ ચાલી નથી શકતો અને તે ભૂખ-તરસથી પણ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે યમદૂત તેની પીઠ પર ચાબુક મારતા તેને આગળ લઈ જાય છે. તે જીવ પડતો આખડતો બેહોશ થતો ચાલે છે અને પછી ઉઠીને ચાલવા લાગે છે. આ પ્રકારના યમદૂત તે પાપીને અંધારઘેર્યા માર્ગથી યમલોક લઈ જાય છે.

- ગુરુડ પુરાણ અનુસાર યમલોક 99  હજાર યોજન (વૈદિક કાળની હિન્દુ લંબાઈ માપનનું પરિમાણ છે. એક યોજન બરાબર ચાર કોસ એટલે કે 13-16 કિ.મી.) છે. ત્યાં પાપી જીવને બે, ત્રણ મુહૂર્તમાં લઈ જાય છે, ત્યાર પછી યમદૂત તેના ભયાનક નરક યાતના આપે છે. તેનાથી તે જીવાત્મા યમ તથા યમની યાતના જોઈને થોડીવારમાં યમરાજની આજ્ઞાથી યમદૂત દ્વારા આકાશમાર્ગથી ફરી પોતાના ઘરને આવે છે.


- ઘરમાં આવીને તે જીવાત્મા આપના શરીરમાં ફરી પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતના પાશ બંધનથી તે મુક્ત ન થઈ શકે અને ભૂખ-તરસના કારણે રડે છે. પુત્ર વગેરે જે પિંડ અને અંત સમયમાં દાન કરે છે, તેનાથી પણ પ્રાણીને તૃપ્તિ થતી નથી કારણ કે પાપીને દાન, શ્રદ્ધાંજલી દ્વારા તૃપ્તિ મળતી નથી, આ પ્રકારે ભૂખ-તરસથી યુક્ત થઈને તે જીવ યમલોકમાં જાય છે.

- ત્યાર પછી જે પરમાત્માના પુત્ર વગેરે પિંડદાન નથી આપતા તો તે પ્રેત રૂપ થઈ જાય છે અને લાંબા સમય સુધી નિર્જન વનમાં દુઃખી થઈને ફરતા રહે છે. એટલો સમય પસાર થયા પછી પણ કર્મને ભોગવવું જ પડે છે કારણ કે પ્રાણી નરક યાતના ભોગ વગર માણસનું શરીર પ્રાપ્ત થતું નથી.

- ગરૂડ પુરાણ અનુસાર માણસનું મૃત્યુ પછી 10 દિવસ સુધી પિંડદાન જરૂર કરવું જોઈએ. તે પિંડદાનને દરરોજ ચાર ભાગ થઈ જાય છે. તેમાં બે ભાગ તો પંચમહાભૂત દેહને પુષ્ટિ આપનાર હોય છે, ત્રીજો ભાગ યમદૂતને થાય છે તથા ચોથો ભાગ પ્રેત ખાય છે. નવમા દિવસે પિંડદાન કરવાથી પ્રેતનું શરીર બને છે, દસમા દિવસે પિંડદાનથી તે શરીરને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે.


- ગરૂડપુરાણ અનુસાર શવને અગ્નિમાં વિલિન કર્યા પછી પિંડથી હાથ બરાબરનું શરીર ઉત્પન્ન થાય છે. ત્યાં યમલોકના માર્ગથી શુભ-અશુભ ફળને ભોગવે છે. પહેલા દિવસે પિંડદાનથી મૂર્ધા (માથુ), બીજા દિવસથી ગર્દન અને ખંભા, ત્રીજા દિવસથી હૃદય, ચોથા દિવસનું પીડથી પીઠ, પાંચમા દિવસથી નાભિ, છઠ્ઠા અને સાતમા દિવસથી કમર અને નીચેના ભાગ, આઠમા દિવસથી પગ, નવમા અને દસમા દિવસથી ભૂખ-તરસ વગેરે ઉત્પન્ન થાય છે. એવા પિંડ શરીરને ધારણ કરી ભૂખ-તસથી વ્યાકુળ પ્રેત આત્મા અગાય અને બારમા દિવસનું ભોજન કરે છે.

- યમદૂત દ્વારા તેરમા દિવસે પ્રેતને વાંદરાની જેમ પકડીને લઈ જાય છે. ત્યાર પછી તે પ્રેત ભૂખ-તરસથી તરફડી યમલોકમાં એકલા જ જાય છે. યમલોક સુધી પહોંચવાનો રસ્તો વૈતરણી નદીને છોડીને છ્યાંસી હજાર યમલોક પહોંચે છે.

- આ પ્રકારે માર્ગમાં સોળહજાર પુરિઓને પાર કરી પાપી જીવ યમપુરિમાં યમરાજાના ઘરે જાય છે. આ સોળ પુરિઓના નામ આ પ્રકારે છે – સોમ્ય, સૌરિપુરિ, નગેન્દ્રભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રોચ, ક્રૂરપુર, વિચિત્રભવન, બાહ્યાપાદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્તભવન, રોદ્ર, પયોવર્ષણ, શીતઢ્ય, બહુભીતિ. આ સોળ પુરિઓને પાર કર્યા પછી આગળ યમરાજપુરિમાં આવે છે.

Thursday, May 01, 2014

જાણી લો...શા માટે ઉજવાય છે 1લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિન ?

1લી મે 1960માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે.મુંબઈ રાજ્યમાંથી છુટા પડેલા મહારાષ્ટ્ર અને ગુજરાતનો ઈતિહાસ અલગ સંદેશો જણાવે છે. કેમ કરવુંપડ્યું ગુજરાત રાજ્ય માટે મહાગુજરાત આંદોલન તેની માહિતી આ પ્રમાણે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાત ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી. અને ત્યારબાદ ટુંક જ સમયમાં આ ચળવળ મહાગુજરાત આંદોલનમાં ફેરવાઈ. મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રની રચના કેમ થઈ અને મહાગુજરાત ચળવળના મુખ્ય હિરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક.. 1956માં ઈન્દુલાલ યાજ્ઞિકે અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો.


વધુમાં દેશને અંગ્રેજોના રાજમાંથી મુક્ત કરાવી અને દેશવાસીઓને સ્વાતંત્ર્ય અપાવવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા છે. જો કે અહી વાત ગુજરાતના દેશની આઝાદીના યોગદાન અંગેની નહી. પરંતુ દેશપ્રેમી, વિકાસશીલ ગુજરાત રાજ્યની રચના અને તેના અનોખા ઈતિહાસની છે. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જો કે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલુ હતુ. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જો કે તે માટે પ્રજા તૈયાર નહોતી.. અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ.1960માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું જેમાં એક રાજ્ય મહારાષ્ટ્ર અને બીજુ રાજ્ય ગુજરાત બન્યું.


નોંધનીય છે કે સદીઓથી ગુજરાતની ભૌગોલિક રીતે અને સાંસ્કૃતિક રીતે એક ઓળખ હતી. સાંસ્કૃતિક બાબતોમાં મુખ્ય ત્વે ભાષા, સાહિત્યનો વારસો, પોતીકો ખોરાક, પહેરવેશ રહેણી કરણી, રીત રિવાજો જેને ગુજારતની ઓળખ કહી શકાય તેવી રહી છે. મહાગુજરાતની ચળવળ પાછળનો મુખ્ય આશય ભાષા ઉપર આધારીત પ્રાંતની રચના કરવાનો રહ્યોં છે. દ્વિભાષી રાજ્ય મુંબઈના પ્રસ્તાવના વિરુદ્ધમાં મહાગુજરાત ચળવળની જરુરીયાત ઊભી થઈ હતી. જે પ્રકારે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી એકમેક થઈને થાય છે તેવી જરીતે મહાગુજરાત ચળવળ શરુ કરાઈ હતી. પ્રત્યેક ગુજરાતી જાતી અને ધર્મથી પર થઈને એક ગુજરાતીના રુપમાં ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્ર્યતા બાદ ભારતમાં વિવિધ ભાષાની જનતાની અસ્મિતા બનાવી રાખવા માટે ભાષા અનુરુપ રાજ્યો સ્થાપના કરાય તેવો વિચાર રજૂ કરાયો હતો.


8 ઓગસ્ટનો એ દિવસ ગુજરાત માટે કાળો દિવસ સાબિત થયો. જેના વિરોધમાં હજારો વિદ્યાર્થિઓ ભદ્રની કોંગ્રેસ ઓફિસે એકત્રિત થયા. અને વિરોધ પ્રદર્શન કર્યા. આ વિરોધ વચ્ચે કોંગ્રેસ ઓફિસ પર ગોળીબાર થયો.. જેમાં 7થી 8 વિદ્યાર્થી શહિદ થયા. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણ થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરાઈ. હરીહર ખંભોળજા, હરીપ્રસાદ વ્યાસ અને પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં પ્રવાસ કરી વિદ્યાર્થીઓને શાંત રહેવા અપીલ કરી. આ રમખાણોમાં 12 લોકો શહીદ થયા જ્યારે 80 લોકો ઘાયલ થયા. શાહપુરમાં સરકાર વિરોધી પ્રદર્શન થયા 10 ઓગસ્ટે 5 લોકો પોલીસની ગોળીનો શિકાર થયા અને 45 લોકો ઘાયલ થયા. અને આ ચળવળે વેગ પકડી અમદાવાદથી નડિયાદ, પારડી, સુરત રાજકોટ, અમરેલી, બાવળા, ભૂજ, આણંદ , પાલનપુર સહિત રાજ્યભરમાં જંગ શરુ થઈ. અંતે કેન્દ્ર સરકારે 27 ઓગસ્ટ 1957માં લોકસભામાં દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય નિર્માણનો પ્રસ્તાવ મુક્યો. લોકસભામાં પ્રસ્તાવ પારિત કરાયો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી હતી. જેથી જીવરાજમહેતાને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરાયો.


જ્યારે લોકસભાએ ગુજારતના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી ત્યારે વિસનગરમાં મહાગુજરાત પરિષદની આખરી બેઠક થઈ અને તેને ભંગ કરી દેવાઈ. 1960માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતને અલગ કરી એક નવા રાજ્યના સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. સ્થાપના બાદ ગુજરાતે મોટાભાગના ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ કર્યો. આજે દેશભરમાં ગુજરાતનું નામ અને યોગદાન છે. ગુજરાતીઓનું ખમીર અને કઠોર પરિશ્રમ અને યોગદાન દુનિયાભરમાં વખણાય છે.

Sunday, April 13, 2014

Full Name Of Famous Company In The World

1.  SAP : જર્મનીની એન્ટરપ્રાઇઝ સોફટવેર કંપની બિઝનેસ ઓપેરેશન અને કસ્ટમર રિલેશન મેનેજ કરે છે. SAPનુ આખું નામ સિસ્ટમ એનાલિસીસ એન્ડ પ્રોગ્રામ ડેવલપમેન્ટ - System Analysis and Program Development છે.

2.  DHL : આ કંપનીનું નામ ડીએચએસ ત્રણ એન્ટરપ્રિન્યોરશીપ Adrian Dalsey, Larry Hillblom અને Robert Lynn એ કંપનીની સ્થાપના કરી હતી. ત્રણેયના છેલ્લાં નામ પરથી કંપનીનું નામ બનાવામાં આવ્યું હતું.  Adrian Dalsey, Larry Hillblom, Robert Lynn

3.  IBM : આ કંપનીનું આખું નામ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીનસ કોર્પોરેશન (International Business Machine Corporation) છે. મલ્ટીનેશનલ ટેકનોલોજી અને કન્સલટીંગ કોર્પોરેશન છે. આ કંપનીની સ્થાપના 1911મા થઇ હતી અને તેનું હેડક્વાર્ટર અમેરિકામાં છે.

4.  WIPRO : ભારતની સૌથી પ્રખ્યાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફર્મ વિપ્રોના નામથી જગવિખ્યાત છે. WIPROના ટૂંકા નામથી ઓળખાતી કંપનીનું આખું નામ વેસ્ટર્ન ઇન્ડિયા પ્રોડક્ટસ લિમિટેડ (Western India Products Limited).

5. TLC : આ સ્પેશ્યાલિટી કેબલ ચેનલ TLCનું નામ ધ લર્નિંગ ચેનલ (The Learning Channel) છે. આ કંપની ડિસ્કવરી ચેનલ, એનિમલ પ્લાનેટ અને ધ સાયન્સ ચેનલ સહિત અન્ય લર્નિંગ થીમ નેટવર્કને ઓપરેટ કરે છે.

6. FIAT : ફિઆટનું આખું નામ ફેબ્રિકા ઇટાલિયન ઓટોમોબિલ ટોરિનો (Fabbrica Italiana Automobili Torino) છે. તેનો અર્થ ટયૂરિનની ઇટાલિયન ઓટોમોબાઇલ ફેકટરી થાય. આ કંપનીની સ્થાપના ઇટાલીમાં 1899મા થઇ હતી.

7. HMV : બ્રિટિશ ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટ રિટેલ ચેન HMVનું આખું નામ ઇઝ માસ્ટર્સ વોઇસ (His Master's Voice) છે. આ કંપની હોંગકોંગ અને સિંગાપોરથી ઓપરેટ થાય છે. કંપની લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

8. TCS : ઇન્ડિયાની મોસ્ટ વેલ્યુએબલ કંપની ટીસીએસનું આખું નામ ટાટા કન્સલટન્સી સર્વિસીસ લિમિટેડ (Tata Consultancy Services) છે. આ કંપની મલ્ટીનેશનલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સર્વિસીસ, બિઝનેસ સોલ્યુશન્સ અને આઉટસોર્સિંગ સર્વિસીસનું કામ કરે છે.

9. Amul : ગુજરાતના નાનકડા ટાઉન આણંદમાં કો-ઓપરેટિવ અમૂલનો દુનિયાભરમાં ડંકો વાગે છે. તે AMULનું નામ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (Anand Milk Union Limited) છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મોટાપાયે ડેરી પ્રોડક્ટની નિકાસ કરે છે. અમૂલનું 2011-2012મા વાર્ષિક ટર્નઓવર 2.5 અબજ ડોલર હતું.

10. IKEA : સ્વીડનની આ કંપની એસેમ્બલ ફર્નિચરની ડિઝાઇન અને વેચાણ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. IKEAના કેપિટલ ચાર લેટરનો મતલબ Ingvar Kamprad Elmtaryd Agunnaryd થાય છે. તેમાં સૌપ્રથમ નામ Ingvar આઇકિયા સ્ટોરની સ્થાપના કરનારનું છે. Kનો મતલબ Kamprad, જે આઇકિયા સ્ટોરનું લાસ્ટ નામ છે. Eનો મતલબ Elmtaryd, જે આઇકિયાના સ્થાપકનું એક ફાર્મ છે. જ્યારે A નો મતલબ Agunnaryd, જે સ્થાપકના બાળપણના ગામનું નામ છે.

11. HTC : તાઇવાનની સ્માર્ટફોન અને ટેબલેટ બનાવતી કંપની એચટીસી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત છે. HTCનું આખું નામ હાઇ ટેક કોમ્પ્યુટર કોર્પોરેશન (Hi-Tech Computer Corporation) થાય છે. કંપની દુનિયાનો સૌપ્રથમ ટચ અને વાયરલેસ હેન્ડહેલ્ડ ડિવાઇડ 1998મા બનાવ્યું હતું.

12. JBL : ભારતમાં આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર એઆર રહેમાન છે. જેબીએલની પ્રોડક્ટ્સ માટે ભારતના સંગીત પ્રેમીઓ તેના શોખીન છે. આ કંપનીના સંસ્થાપક James Bullough Lansing. તેમના ટૂંકા નામ પરથી કંપનીનું નામ JBL પડ્યું છે.

13. 3M : અમેરિકાની એક મલ્ટીનેશનલ કંપનીનું નામ 3M છે. મિનેસોટા માઇનિંગ એન્ડ મેન્યુફેકચરિંગ (Minnesota Mining and Manufacturing) એટલે કે કંપનીના નામના પ્રથમ એમ પરથી નામનું ટૂંકું નામ એટલે 3M પડ્યું.

14. AT&T : અમેરિકાની આ મલ્ટીનેશનલ ટેલિકોમ્યુનિકેશન કંપની છે. આ કંપનીનું આખું નામ અમેરિકન ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ (American Telephone and Telegraph) કંપની છે. આ કંપની બ્રોડબેન્ડ અને સબક્રિપ્શન ટેલિવિઝન સર્વિસીસ પૂરી પાડે છે.

15. H&M : દુનિયાભરમાં સ્ત્રી-પુરુષ, ટીનેજર્સ, અને બાળકો માટે ફાસ્ટ ફેશન ક્લોથિંગ બ્રાન્ડ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ સ્વિડિશ કંપનીનું નામ Hennes & Mauritz છે.

16. ING Group : આઇએનજી ગ્રૂપ બેન્કિંગ, એસેટ મેનેજમેન્ટ, અને ઇન્શયોરન્સ સર્વિસીસનું કામ કરે છે. આઇએનજીનું આખું નામ ઇન્ટરનેશનલ નેધરલેન્ડ ગ્રૂપ (International Netherlands Group) છે.

17. BMW : જર્મનીની ઓટોમોબાઇલ કંપની બીએમડબલ્યું નું આખું નામ Bayerische Motoren Werke છે. આ કંપની મોટરસાઇકલ અને એન્જિન મેન્યુફેકચરિંગ કરતી કંપની છે. તેની સ્થાપના 1917મા થઇ હતી.

18. KFC : દુનિયાની સૌથી મોટી ફ્રાયડ ચિકનની ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં ચેઇન ધરાવતી કેએફસીનું આખું નામ Kentucky Fried Chicken છે. કેએફસી દુનિયાભારમાં પ્રખ્યાત છે. તેના 105 દેશમાં 17000 આઉટલેટ છે.

19. BPL : બીપીએલનું આખું નામ બ્રિટિશ ફિઝિકલ લેબોરેટરીઝ (British Physical Laboratories) થાય છે. ઇન્ડિયાની ઇલેક્ટ્રોનિક્સ કંપની કન્ઝયુમર એપ્લાયન્સ, હોમ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્ટ્સ અને હેલ્થ કેર ડિવાઇસની વસ્તુઓ બનાવે છે. આ કંપનીની સ્થાપના 1963મા થઇ હતી.

20. BASF : દુનિયાભરમાં કેમિકલ ક્ષેત્રે ડાઇવર્સિફાઇડ થયેલી માત્ર આ એક કંપની છે. કંપની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી પ્રોડક્ટ્સ ઓફર કરે છે. 200 દેશોમાં તેના ગ્રાહકો છે. BASFનું આખું નામ Baden Aniline and Soda Factory છે.

21. BHEL : નવી દિલ્હીની ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેકચર, કંસ્ટ્રકશન, ટેસ્ટિંગ, કમિશનિંગ, અને સર્વિસીસ સહતિ ઘણા ક્ષેત્રની પ્રોડક્સટ અને સર્વિસ આપતી કંપની ભારતીય ઇકોનોમીને ઘણી મદદરૂપ થાય છે. આ કંપનીનું આખું નામ Bharat Heavy Electricals Limited છે.

22. BPL : ઘણા લોકો મજાકમાં બીપીએલને 'બાપના પૈસા લહેર' એવું કહેતા હોય છે. પરંતુ તેનું ખરેખરમાં સાચું નામ બ્રિટિશ ફિઝિકલ લેબોરેટરીસ (British Physical Laboratories) કહેવાય છે. આ કંપનીની સ્થાપના 1963માં થઇ હતી.

23. BEML : ભારતની જાહેરક્ષેત્રની કંપનીનું નામ ભારત અર્થ મુવર્સ લિમિટેડ (Bharat Earth Movers Limited) છે. કંપનીનું હેડક્વાર્ટર બેંગ્લુરૂમાં આવેલું છે. આ કંપની ભારે વાહનો બનાવે છે. તેમના વાહનોનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ માટે થાય છે.

24. BHEL : દિલ્હીની આ કંપની કોર સેકટર જેવાં કે ડિઝાઇન, એન્જિનિયરિંગ, મેન્યુફેકચર, કન્સ્ટ્રકશન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને સર્વિસીસ પ્રોડક્ટ માટે કામ કરે છે. આ કંપનીનું નામ Bharat Heavy Electricals Limited.

25. ICICI બેન્ક : ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની ICICI બેન્કનું હેડક્વાર્ટર મુંબઇમાં આવેલું છે. તે બેન્કિંગ પ્રોડક્ટ્સ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ પૂરી પાડે છે. આ બેન્કનું પૂરું નામ Industrial Credit and Investment Corporation of India Bank છે.

26. HDFC : ભારતની સૌથી મોટી મોર્ગેજ કંપની એચડીએફસી સ્થાપના 1977માં થઇ હતી. આ બેન્કનું આખું નામ Housing Development Finance Corporation Limited છે.

27. ESPN : રમતગમત માટે વૈશ્વિક ટેલિવિઝન નેટવર્ક ધરાવતી કંપનીનું નામ Entertainment and Sports Programming Network છે.

28. HSBC : મલ્ટીનેશનલ બેન્કિંગ અને ફઆઇનાન્સિયલ સર્વિસીસનું કામ કરતી આ બેન્ક દુનિયાભરમાં તેની શાખાઓ ધરાવે છે. છેલ્લાં કેટલાંય સમયથી કાળા નાણાંના મુદ્દે સતત ચર્ચામાં છે. આ બેન્કનું આખું નામ Hongkong and Shanghai Banking Corporation છે.

29. HCL : વૈશ્વિક ટેકનોલોજી અને આઇટી એન્ટરપ્રાઇઝ કંપનીનું હેડક્વાર્ટર ભારતમાં આવેલું છે. આ કંપનીનું ફોકસ મુખ્યત્વે આઇટી હાર્ડવેર પર જ છે. HCLનું આખું નામ Hindustan Computer Limited છે.

30. L&T : ભારતમાં આવેલી આ મલ્ટીનેશનલ કોર્પોરેશનનું હેડક્વાર્ટર મુંબઇમાં આવેલું છે. આ કંપની ટેકનોલોજી, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રકશન અને મેન્યુફેકચરિંગ ગુડઝના વેપારમાં જોતરાયેલી છે. આ કંપનીનું આખું નામ Larsen & Toubro છે.

31. LEGO : લીગો ગ્રૂપના સ્થાપના 1932મા થઇ હતી. આ કંપની રમકડાની સાથે બાળકો માટે અનુભવે શૈક્ષણિક મટીરિયલ પણ બનાવે છે. તેનું આખું નામ  ‘Leg Godt’ છે, તેનો મતલબ પ્લે થાય છે.

32. MRF : ભારતની અગ્રણી ટાયર ઉત્પાદક કંપનીનું આખું નામ Madras Rubber Factory છે. જે MRF તરીકે સૌથી વધુ પ્રખ્યાત છે.

33. CEAT : મુંબઇની ટાયર બનાવતી કંપની CEATનું આખું નામ Cavi Elettrici e Affini Torino છે.

34. HMT : HMTનું આખું નામ Hindustan Machine Tools છે. કંપની ઘડિયાળ, ટ્રેકટર, પ્રિન્ટિંગ મશીનરી અને પ્લાસ્ટિક પ્રોસેસિંગની મશીનરી પણ બનાવે છે.

35. INTEL : દુનિયાની સૌથી મોટી ચીપ બનાવતી કંપની ઇન્ટેલનું આખું નામ Integrated Electronics છે. આ કંપની મધરબોર્ડ ચીપેસ્ટસ, નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર્સ અને ઇન્ટીગ્રેટેડ સર્કિટ, ફ્લેશ મેમોરી, ગ્રાફિક ચિપ્સ સહિત ઘણી પ્રોડ્કટસ બનાવે છે.

36. CAT : CAT તરીકે ઓળખાતી આ કંપનીનું આખું નામ Caterpillar Inc છે. આ કંપની ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સેલિંગ મશીનરીની સાથો સાથ કંપની ફાઇનાન્સિયલ પ્રોડક્ટસ અને ઇન્શયોરન્સનું પણ વૈશ્વિક સ્તરે કામ કરે છે.

37. ITC : ભારતની જાહેરક્ષેત્રની કંપનીનું આખું નામ India Tobacco Company છે. આ કંપની એફએમસીજી માર્કેટ્સમાં, હોટલ, પેપરબોર્ડ્સ, પેકેજીંગ, એગ્રી બિઝનેસ, અને આઇટી સાથે પણ સંકળાયેલી છે.


38. CNN : દુનિયાના 212 દેશમાં તેના દર્શકો છે. 1980ની સાલમાં આ નેટવર્કને લૉન્ચ કરાયું હતું. Cable News Network

39. NASA : નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (National Aeronautics and Space Administration) તરીકે જાણીતું છે. અમેરિકન સરકારની એજન્સી સ્પે પ્રોગ્રામ, એરોનોટિક્સ એન્ડ એરોસ્પેસ રિસર્ચ માટે કામ કરે છે.

40. HP : ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોર્પોરેશની સૌથી પ્રખ્યાત કંપની એચપીનું નામ Hewlett-Packard છે. આ કંપની ટેકનોલોજી, સોફ્ટવેર, સોલ્યુશન્સ અને સર્વિસીસ આપવાનું કામ કરે છે.

41. GE : આ કંપનીનું આખું નામ જનરલ ઇલેક્ટ્રીક (Journal Electric) કંપની છે. આ કંપની એનર્જી, ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રકચર, કેપિટલ ફાઇનાન્સ, કન્ઝયુમર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં પણ કામ કરે છે.

42 P&G : મલ્ટીનેશનલ કન્ઝયુમર ગુડઝ કંપની P&Gનું આખું નામ પ્રોકટર એન્ડ ગેમ્બલ (Procter and Gamble) છે. આ કંપની હેઠળ 20થી પણ બ્રાન્ડ કાર્યરત છે. 2011ની સાલના રિપોર્ટ પ્રમાણે આ કંપનીએ વાર્ષિક ચોખ્ખું વેચાણ એક અબજ ડોલરથી પણ વધુ કર્યું હતું.

Tuesday, March 25, 2014

Great Line Must Read this

એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો. એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું.

છોકરી : અરે સંભાળ! તારી એક મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે. શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ! તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને તારા લેવલની કોઈને પકડી લે. પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે તેણીને ભૂલીન શક્યો. 
દસ વર્ષ પછી.
=======

એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.
છોકરી : અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થઈ ગયા છે મારો પતિતો બહુ જ પૈસાદાર છે, મહિનાનો ૨ લાખનો પગારદાર છે, અને તે સ્માર્ટ પણ તેટલો જ છે.

આ શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા. થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને પેલા છોકરાને જોઈને બોલ્યો, “ અરે સર! તમે અહિયા!

આ મારી પત્ની છે. પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો, “ હું આ સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે.

તું સર વિષે એક વાત જાણે છે? સર એક છોકરીના પ્રેમમાં હતા. પરંતુ પેલી છોકરીએ બીજા સાથે લગ્ન કરી લીધા. પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા.

:(તેના પતિએ કહ્યું....
પેલી છોકરીના ભાગ્ય જ ફૂટલાં હશે! નહિ તો આ જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે

Friday, March 07, 2014

શાસ્ત્રો પ્રમાણે મરતાં પહેલાં આ 16 કામ ન કર્યા તો, જીવન છે અપૂર્ણ!

શાસ્ત્રો અનુસાર મનુષ્ય જીવન માટે કેટલાક જરૂરી નિયમ બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું આપણા માટે અત્યંત જરૂરી અને સુખકારી માનવામાં આવે છે. મનુષ્ય જીવનમાં દરેક વ્યક્તિને અનિવાર્ય રૂપથી સોળ સંસ્કારોનું પાલન કરવું જોઈએ. આ સંસ્કાર વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી અલગ-અલગ સમય પર કરવામાં આવે છે.

પ્રાચીન કાળથી આ સોળ સંસ્કારોના નિર્વાહનની પરંપરા ચાલી આવે છે. દરેક સંસ્કારોનું પોતાનું અલગ મહત્વ છે. જે વ્યક્તિ દ્વારા આ સોળ સંસ્કારોનું નિર્વાહ નથી કરવામાં આવતું તેનું જીવન અધૂરું રહી જાય છે.

ગર્ભાધના સંસ્કાર ગર્ભાધના તંદુરસ્ત બાળકો હોય માટે આ વિભાવના કર્મકાંડ છે. ભગવાન બ્રહ્મા કે પ્રજાપતિ આ વિધિ દ્વારા ખુશ થાય છે.

પુંસવન સંસ્કાર ગર્ભસ્થ શિશુના બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે આ સંસ્કાર કરવામાં આવે છે. પુંસવન સંસ્કારના મુખ્ય લાભ એ છે કે તેનાથી સ્વસ્થ, સુંદર ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે.

સીમન્તોન્નયન સંસ્કાર આ સંસ્કાર ગર્ભના ચોથા, છઠ્ઠા અને આઠમા મહીનામાં કરવામાં આવે છે આ સમય ગર્ભમાં ઉછરી રહેલ બાળક શીખવા સક્ષમ થઈ જાય છએ. તેમાં સારા ગુણ, સ્વભાવ અને કર્મનું જ્ઞાન આવો, તેના માટે માં તે પ્રકારે આચાર-વિચાર, રહન-સહન અને વ્યવહાર કરે છે.

જાતકર્મ સંસ્કાર બાળકના જન્મ થતા જ આ સંસ્કારને કરવાથી બાળકમાં ઘણા પ્રકારના દોષ દૂર થાય છે. તેની અંતર્ગત શિશુને મધ અને ઘી ચટાવવામાં આવે છે સાથે જ વૈદિક મંત્રોનું ઉચ્ચરણ કરવામાં આવે છે જેથી બાળક સ્વસ્થ્ય અને દીર્ઘાયું થાય છે.

નામકરણ સંસ્કાર બાળકના જન્મ પછી 11મા દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. બ્રાહ્મણ દ્વારા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળકના નામ નક્કી કરવામાં આવે છે. બાળકના જન્મની તિથિ પ્રમાણે તેનું નામ રાખવામાં આવે છે.

નિષ્ક્રમણ સંસ્કાર નિષ્ક્રમણનો અર્થ છે ગર્ભમાંથી બાહર નિકળનાર બાળકના જન્મના ચોથા મહીને આ સંસ્કાર કરવામાં આવે છે. આપણા શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેને પંચભૂત કહેવામાં આવે છે, આ માટે પિતા આ દેવતાઓથી બાળકોના કલ્યાણની પ્રાર્થના કરે છે. સાથે જ કામના કરે છે કે બાળક દીર્ધાયું રહે અને સ્વસ્થ્ય રહે છે.

અન્નપ્રાશન સંસ્કાર આ સંસ્કાર બાળકોના દાંત નિકળવાના સમયે એટલે 6-7 મહીને કરવામાં આવે છે. આ સંસ્કાર પછી બાળકને અન્ન ખવડાવવાની શરૂઆત થાય છે. જેથી બાળક અન્ન ખાતું થાય. આ સંસ્કારથી બાળકનું શારિરીક વિકાસ થાય છે.

મુંડન સંસ્કાર - જ્યારે બાળકની ઉમર એક વર્ષથી વધુ અથવા ત્રણ, પાંચમા કે સાતમાં વર્ષે તેના વાળ ઉતારવામાં આવે છે જેથી મુંડન સંસ્કાર કહેવામાં આવે છે. આ સંસ્કારથી બાળકનું માથુ મજબૂત થાય છે તથા બુદ્ધિ તેજ થાય છે. સાથે જ બાળકના વાળમાં ચોટેલા કિટાણુંનો નાશ થઈ જાય છે જેથી બાળકનું સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.

વિદ્યા આરંભ સંસ્કાર આ સંસ્કારના માધ્યમથી બાળકને ઉચિત શિક્ષા આપવામાં આવે છે. બાળકને શિક્ષાના પ્રારંભિક સ્તરથી પરિચિત કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં બાળક હોશિયાર બની શકે અને દુનિયામાં નામના મેળવી શકે.

કર્ણ વેધ સંસ્કાર તેનો અર્થ છે કાન છેદવા. પરંપરામાં કાન અને નાક છેદવાના બે કારણથી એક્યુપંચપ હોય છે. તેનાથી મસ્તિષ્ક સુધી જનાર નસોમાં રક્ત પ્રવાહ બરાબર થાય છે. તેનાથી શ્રવણ શક્તિ વધે છે અને ઘણા રોગો અટકે છે.

ઉપનયન કે યજ્ઞોપવિત સંસ્કાર ઉપ એટલે પાસે અને નયન એટલે જાણવું ગુરુની પાસે લઈ જવાનો અર્થ એટલે ઉપનયન સંસ્કાર. આજે પણ આ પરંપરા છે. જનોઈ એટલે કે યજ્ઞોપવિતમાં ત્રણ સૂત્ર હોય છે. એ ત્રણેય દેવતા- બ્રહ્મા, વિષ્ણુ, મહેશના પ્રતિક છે. આ સંસ્કારથી બાળકને બળ, ઉર્જા અને તેજ પ્રાપ્ત થાય છે.

વેદારંભ સંસ્કાર તેની અંતર્ગત વ્યક્તિને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે. જેથી વ્યક્તિ વેદો અને ઉપનિષદની જાણકારી પર પોતાના જીવનમાં ગ્રહણ કરી શકે.

કેશાંત સંસ્કાર કેશાંત સંસ્કાર અર્થ છે કેશ એટલે વાળનો અંત કરવો. વિદ્યા અધ્યયનથી પહેલા પણ કેશાંત કરવામાં આવે છે. માન્યતા છે ગર્ભથી બહાર આવ્યા પછી બાળકના માતા-પિતાના આપેળ બાળ જ રહે છે. તેને કાપવાથી શુદ્ધિ થઈ જાય છે. શિક્ષા પ્રાપ્તિના પહેલા શુદ્ધિ જરૂરી છે, જો કે મસ્તિષ્ક બરાબર દિશામાં કામ કરે છે. જુનામાં ગુરુકુળની શિક્ષા પ્રાપ્ત પછી કેશાંત સંસ્કાર કરવામાં આવતા હતા.

સમાવર્તન સંસ્કાર સમાવર્તન સંસ્કાર અર્થ છે પાછું ફરવું. આશ્રમ એટલે કે ગુરુકુળથી શિક્ષા પ્રાપ્તિ પછી વ્યક્તિને ફરીથી સમાજમાં લાવવા માટે આ સંસ્કાર કરવામાં આવે છે. તેનો અર્થ છે બ્રહ્મચારી વ્યક્તિને સંસાર માટે મનોવિજ્ઞાનિક રૂપથી તૈયાર કરવા.

વિવાહ સંસ્કાર આ ધર્મનું સાધન છે. વિવાહ સંસ્કાર સર્વાધિક મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. આ સંસ્કારથી સુવિદિત છે બધા. પણ આ સંસ્કાર એ માટે કરવામાં આવે છે કે તેથી પિતૃ મુક્તિ થાય છે.

અંત્યેષ્ટી સંસ્કાર અંત્યેષ્ટિ સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર. મૃત શરીરને અગ્નિ આપવામાં આવે છે. આજે પણ ઘરેથી અગ્નિ લઈ જઈ વ્યક્તિને અંતિમદાહ આપવામાં આવે છે. તેને પણ આપણા શાસ્ત્રોએ અંતિમ યજ્ઞ કહ્યો છે.

Thursday, March 06, 2014

આ સાત 'સ' સજાવી દે છે તમારા દાંપત્યના સંબંધને!

દાંપત્ય કહે છે કોને? શું માત્ર સ્ત્રી પુરુષનું સાથે રહેવું દાંપત્ય છે? આ સંબંધ હંમેશા માટે જાણવા યોગ્ય રહ્યો છે, કારણ કે તે એટલો નાજુક છે, કે એકવાર જો તણાવથી તુટી જાય છે તો પછી જોડાવવાથી ય વચ્ચે એક ભાવાત્મક ગાંઠ રહે છે. આ ગાંઠ ન રહે અને તમે સફળતાપૂર્વક સંવેદનશીલ દાંપત્યજીવવનું છે તો આ છ ‘સ’ અપનાવો...

સમર્પણ – દાંપત્ય એટલે કે વૈવાહિક જીવનમાં પતિ-પત્નીને એક બીજા પ્રત્યે પૂરા સમર્પણ અને ત્યાગ હોવો જોઈએ. એક બીજા પ્રત્યે પોતાની ઈચ્છા અને આવશ્યકતાઓનો ત્યાગ આપવો અને સમજુતી કરી લેવી તે દાંપત્ય જીવન માટે દવા રૂપ છે.


સંતાન -
પતિ, પત્નીના સંબંધને મધુર બનાવવામાં સંતાનોનો ફાળો મહત્વપૂર્ણ હોય છે.


સંવેદનશિલતા – પતિ-પત્નીના રૂપમાં એક બીજાની ભાવનાઓનો સમજવું અને તેની કદર કરવી. રામ સીતાની વચ્ચે સંવેદનનો સંબંધ ખાસ ઉંડો સંબંધ હોય છે. પતિ-પત્ની વચ્ચે માત્ર આંખો અને ભાવો પરથી જ તેના મનની વાત સમજી શકે.

સંતુષ્ટિ – એટલે કે એક-બીજાની સાથે રહેવા છત્તાસમય અને પરિસ્થિતિ અનુસાર જે પણ સુખ-સુવિધા પ્રાપ્ત થઈ જાય છે તેમાં સંતોષ કરવો. બન્ને એક બીજાથી પૂર્ણતઃ સંતુષ્ટ હતા. રામ-સીતાએ એક બીજામાં ક્યારેય ખામી જોઈ નથી.

સક્ષમ – સામર્થ્યનું હોવું. દામ્પત્ય એટલે કે વૈવાહિક જીવનની સફળતા અને ખુશહાલીથી ભરપૂર બનાવવા માટે પતિ-પત્ની બન્નેને શારીરિક, આર્થિક અને માનસિક રૂપથી મજબૂત થવું વધારે આવશ્યક છે.

સંયમ – એટલે કે સમય-યમય પર ઉઠાવવનારી માનસિક ઉત્તેજનાઓ જેવી કે – કામવાસના, ક્રોધ, લોભ, અહંકાર તથા મોહ વગેરે નિયંત્રણ રાખવું. રામ-સીતાએ પોતાના સંપુર્ણદાંપત્ય વધારે જ સંયમ અને પ્રેમથી જીવ્યા. તે ક્યારે પણ માનસિક કે શારીરિક રૂપથી અનિયંત્રિત નથી થતું.

સંકલ્પ – પતિ-પત્નીના રૂપે પોતાના ધર્મ સંબંધને સારી રીતે નિભાવવા માટે પોતાના કર્તવ્યને સંકલ્પપૂર્વક પૂરા કરવા.